આ લોકોએ ભૂલથી પણ ન ખાવુ લસણ
લસણ રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ સારું છે તેથી શિયાળામાં તેને ખાવાની સલાહ આપવામાં આવે છે
લસણના બીજા પણ ઘણા ફાયદા છે પરંતુ લસણ ખાવું દરેક માટે ફાયદાકારક સાબિત થતું નથી
જે લોકોને એસિડિટીની સમસ્યા હોય છે તેમને લસણ ખાવાથી હાર્ટબર્ન થઈ શકે
આ સિવાય એસિડિટીથી પીડિત લોકોએ ખાલી પેટ લસણનું સેવન બિલકુલ ન કરવું જોઈએ
જો તમારું પેટ કમજોર છે અને કંઈપણ ખાવાથી સરળતાથી ખરાબ થઈ જાય છે તો તમારે લસણનું સેવન ન કરવું જોઈએ
જો તમને શ્વાસની દુર્ગંધ અને શરીરમાં પરસેવાની સમસ્યા હોય તો તમારે લસણનું સેવન બિલકુલ ન કરવું જોઈએ
જો તમે લોહી પાતળું કરવાની દવાઓ લઈ રહ્યા છો તો તમારે મર્યાદિત માત્રામાં લસણનું સેવન કરવું જોઈએ
લસણ તે લોકો માટે ઉત્તમ છે જેમને કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યા નથી
View More